ઈન્ડોનેશિયામાં ભૂકંપ-સુનામીમાં ભારે નુકસાન, ૪૦૦ના મોત થયા

1401

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં પ્રચંડ ભુકંપ બાદ સુનામી ત્રાટકતા, ભારે નુકસાન થયું હોવાને હવે સમર્થન મળવા લાગી ગયું છે. શુક્રવારના દિવસે ભૂકંપ અને સુનામી બાદ હવે મોતનો આંકડો 400 સુધી પહોંચી ગયો છે. આશરે ૫૪૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. જેથી મોતનો આંકડો હજુ પણ ખૂબ ઉપર જઈ શકે છે. હોસ્પિટલમાં ઘાયલોની સંખ્યા ખૂબ મોટી દેખાઈ રહી છે. શુક્રવારના દિવસે આવેલા ભૂકંપનું કેન્દ્ર પાલુ શહેરથી ૭૮ કિલોમીટરના અંતરે સ્થિત હતું. મધ્ય સુલાવેસીના ડોગ્ગાલા વિસ્તારમાં આવેલા ભૂકંપના તીવ્રતા ૭.૫ થી વધારે રહી હતી. ભૂકંપ બાદ પાલુની હોસ્પિટલમાં હાલમાં ઘાયલોની સંખ્યા એટલી વધી ગઈ છે કે સારવાર ખુલ્લામાં કરવામાં આવી રહી છે. ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ કહ્યું છે કે હોનારતની જગ્યાએ મદદ માટે સેનાને બોલાવી લેવામાં આવી છે. હજારો ઘરો અને ઈમારતોને નુકસાન થયું છે. ૮૦ રૂમ ધરાવતી એક હોટલને પણ નુકસાન થયું છે. કેટલાક શોપીંગ મોલ, મસ્જિદો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સાવચેતીના પગલારૂપે પાલુ એરપોર્ટને હાલમાં બંધ રાખવામાં આવ્યો છે.

આશરે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવનાત પાલુ શહેરમાં સુનામી બાદ પાંચ ફૂટથી ઉંચા મોજા ઉછળ્યા હતા. અનેક મૃતદેહ દરિયાકાંઠે નજરે પડ્યા હતા. હોનારતના દિવસે દરિયાકાંઠા પર કોઈ ઉજવણી ચાલી રહી હતી. ત્યાં હાલમાં મૃતદેહોની શોધખોલ ચાલી રહી છે. ભૂકંપ બાદ લોકો બુમાબુમ કરતા ભાગતા નજરે પડ્યા હતા. શક્તિશાળી સુલાવેસી ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે, સુનામીની ચેતવણી થોડાક સમય બાદ ઉઠાવી લેવામાં આવી હતી. જો કે, ઇન્ડોનેશિયન ટીવીએ શક્તિશાળી મોજાના એક સ્માર્ટ ફોનના વિડિયો દર્શાવ્યા હતા જેમાં પાલુમાં લોકો ચારેબાજુ ભાગતા નજરે પડ્યા હતા. પાલુ શહેરમાં બે મીટર સુધીના મોજા ઉછળ્યા હતા પરંતુ પાણીની ગતિ પ્રમાણમાં ધીમી રહી હતી. સુનાવણીની ચેતવણી પરત લઇ લેવામાં આવ્યા બાદ તંત્રએ રાહત અનુભવી હતી. પાલુ શહેરમાં સુનામીના કારણે દરિયામાં છ ફુટ સુધી મોજા ઉછળ્યા હતા. અનેક ઇમારતો પણ ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઉથલપાથલ અને દહેશત વચ્ચે લોકો માર્ગો ઉપર દોડતા નજરે પડ્યા હતા. મધ્ય સુલાવેસીના ડોગલા વિસ્તારમાં ૧૦ કિલોમીટર જમીનની નીચે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે સુનામીની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ લોંમબોક દ્વિપમાં ભૂકંપમાં સેંકડો લોકોના મોત થયા હતા. આજે ભુકંપનું કેન્દ્ર પાલુ શહેરથી ૭૮ કિલોમીટરના અંતરે સ્થિત હતું. પાલુ મધ્ય સુલાવેસી પ્રાંતના પાટનગર તરીકે છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, તેની અસર અહીંથી આશરે ૯૦૦ કિલોમીટર દૂર સુધી જોવા મળી હતી. પાલુના દક્ષિણમાં આશરે ૧૭૫ કિલોમીટરના અંતરે સ્થિત તોરાજાના નિવાસીએ કહ્યું હતું કે, ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયા સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે છે. ડિસેમ્બર ૨૦૦૪માં પશ્ચિમી ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારબાદ સુનામીના કારણે હિંદ મહાસાગર ક્ષેત્રના અનેક દેશોમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા. ઈન્ડોનેશિયા દુનિયામાં સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર પૈકી છે. આ વર્ષની શરૂઆતમાં લોમબોકમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેમાં સેંકડો લોકોના મોત થયા હતા. ઈન્ડોનેશિયાના અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આગામી દિવસોમાં મોતનો આંકડો વધે તેવી શક્યતા રહેલી છે. હજારો મકાનો અને અન્ય ઈમારતોને વ્યાપક નુકસાન થયું છે. મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. અમેરિકાના ભૂકંપ સંબંધિત ભિાગના કહેવા મુજબ નુકસાનનો આંકડો હજુ પણ ખૂબ મોટો હોઈ શકે છે. કારણ કે ઘણા વિસ્તારમાં બચાવ ટુકડી પહોંચી શકી નથી.

Previous articleપાક ત્રાસવાદને ફેલાવા અને તેને નકારવામાં ખૂબજ કુશળ
Next articleસરહદ પર કઠોર કાર્યવાહી જારી રહેશે : ભારતની પાકને ચેતવણી