નોરતા પર્વની તૈયારીઓને અપાઈ રહેલ આખરીઓપ

1286

સમગ્ર ગુજરાતી પ્રજાજનોનું માનીતું પર્વ અને દર વર્ષ એક માસ અગાઉથી જેની તૈયારીઓ શરૂ થઈ જાય છે એવા નવરાત્રિ પર્વની તડામાર તૈયારીઓને અંતિમ આકાર આપવામાં આવી રહ્યો છે. માં જગતજનની જગદંબાની પરમ આરાધના ભક્તિનું અનોખા પર્વ નવરાત્રિમાં ૬૪ પૈકી મુખ્ય નવ દેવીઓની અલગ-અલગ સ્વરૂપે પૂજા-ઉપાસના તથા વ્રત અનુષ્ઠાન વડે પામર મનુષ્ય પોતાની જાતને ધન્ય કરે છે. હાલ ભાવનગર શહેર-જિલ્લામાં નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પૂર્વે જાહેર સ્થળે યોજાતા રાસ ગરબાના કાર્યક્રમોમાં સમગ્ર તૈયારીઓ પૂર્ણતાના આરા પર છે. શહેરમાં જાહેર સર્કલો પર સ્ટેજ, મંડપ, રોશની, તોરણ સહિતની વસ્તુઓ દ્વારા શણગારવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ નવ દિવસના અનુષ્ઠાન અર્થે માતાના આકર્ષક ગરબાઓ, ચુંદડીઓ, અગરબત્તી, ધૂપ સહિતના વેચાણ અર્થે ઠેર-ઠેર શમીયાણાઓ ઉભા કરવામાં આવ્યા છે તો યુવા વર્ગ ગરબે રમવા થનગની રહ્યું છે.

Previous articleઅક્ષરવાડી ખાતે પ્રાપ્તી દિન ઉજવાયો
Next articleઆવતીકાલથી પ્રારંભ થતાં આશ્વિન માસનાં શુકલ પક્ષનાં દિવસોનું સંક્ષિપ્ત પંચાગ વિશ્લેષણ