શૂઝ પહેરીને પોલીસ કર્મચારી જગન્નાથ મંદિરમાં પ્રવેશ ન કરે

870

દેશના આસ્થાના કેન્દ્રોમાંથી મુખ્ય સ્થાન ગણાતા જગન્નાથ મંદિરને લઇ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે.

આજે સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઇપણ પોલીસ કર્મી હથિયારોને લઇને તથા શૂઝ પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઈન લગાવીને દર્શન કરવાની વ્યવસ્થા લાગૂ કરવાના ગાળા દરમિયાન ત્રીજી ઓક્ટોબરના દિવસે થયેલી હિંસાની નોંધ લેતા સુપ્રીમ કોર્ટ તરફથી આ મુજબનો આદેશ કરવામાં આવ્યો છે. શૂઝ પહેરીને તથા હથિયાર લઇને જગન્નાથ મંદિરમાં પોલીસ કર્મી પ્રવેશ કરી શકશે નહીં. સુપ્રીમના આ આદેશને લઇને જોરદાર ચર્ચા ચાલી રહી છે. ઓરિસ્સા સરકારે ન્યાયમૂર્તિ મદન બી લાકુર અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની પીઠને કહ્યું હતું કે, પુરીના જગન્નાથ મંદિરમાં હિંસાના સંદર્ભમાં ૪૭ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. રાજ્ય સરકારે પીઠને કહ્યું છે કે, જગન્નાથ મંદિર સંકુલમાં કોઇપણ પ્રકારની હિંસા થઇ નથી. હિંસાના ગાળા દરમિયાન મંદિર વહીવટીતંત્રના ઓફિસ ઉપર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી. જો કે, મુખ્ય મંદિરથી આશરે ૫૦૦ મીટરના અંતરે સ્થિત કચેરી પર હુમલો કરવામાં આવ્યો હતો.

મામલામાં દરમિયાનગીરીની માંગ કરનાર સંગઠન તરફથી ઉપસ્થિત રહેલા વકીલે પીઠની સમક્ષ દાવો કર્યો હતો કે, હિંસાના ગાળા દરમિયાન પોલીસ કર્મચારી હથિયારોની સાથે શૂઝ પહેરીને મંદિરમાં પ્રવેશ કરી ગયા હતા જ્યારે પોલીસે કહ્યું હતું કે, ત્રીજી ઓક્ટોબરના દિવસે એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા દ્વારા લાઈનમાં દર્શન કરવાની વ્યવસ્થાના વિરોધમાં ૧૨ કલાક માટે બંધની હાકલ કરી હતી. આ ગાળા દરમિયાન મંદિર સંકુલમાં હિંસા થઇ હતી જેમાં નવ લોકો ઘાયલ થયા હતા. મંદિરના એક અધિકારીએ કહ્યું હતું કે, લાઈન લગાવીને દર્શનની વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી હતી અને હવે આની સમીક્ષા કરાશે કારણ કે, સ્થાનિક લોકો અને સલાહકાર લોકો આના વિરોધ કરી રહ્યા છે.

Previous articleઓરિસ્સા-આંધ્રમાં તિતલી તોફાનનું સંકટ : તંત્ર સજ્જ
Next articleઆમ્રપાલી ગ્રુપની નવ પ્રોપર્ટી સીલ કરવાના આદેશ કરાયા