રાજુલામાં નવરાત્રિ મહોત્સવનો રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ

775

રાજુલામાં નવરાત્રિ મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો. જેમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર નવરાત્રિનો પ્રારંભ કરી માતાજીના ગુણ ગાયા હતા. રાજુલામાં જય માતાજી યુવા ગ્રુપ આયોજીત તેમજ કોળી સમાજ આયોજીત નવરાત્રિ મહોત્સવનો માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, રવુભાઈ ખુમાણની અધ્યક્ષતામાં પ્રારંભ થયો હતો.

રાજુલામાં બ્રહ્મસમાજ દ્વારા સતત પાંચમાં વર્ષે બ્રહ્મસમાજ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આરતી ઉતારી હતી. આ તકે પ્રવિણભાઈ ત્રિવેદી, મનોજભાઈ વ્યાસ, ભુપતભાઈ જોશી, કનકભાઈ જાની, બકુલભાઈ જોશી, ભાવેશભાઈ જાની, શશીભાઈ રાજ્યગુરૂ, ઈન્ચાર્જ આરએફઓ રાજ્યગુરૂ, જલ્પાબેન જાંખરા, ચંદ્રિકાબેન દવે, કમલેશભાઈ વ્યાસ, હેમલભાઈ વ્યાસ, પ્રફુલભાઈ રાજ્યગુરૂ, ગૌરાંગભાઈ જાની, સંજીવભાઈ જોશી, વંદનાબેન મહેતા, ઘેલાભાઈ ત્રિવેદી સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

Previous articleવૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી
Next articleરાજુલા ખાતે પત્થરના શહેરમાં શિર્ષક હેઠળ ગીતો- ગઝલોનો કાર્યક્રમ યોજાયો