પાલિતાણાના યુવાન પોલીસ કર્મી.નું વાહન અકસ્માતમાં મોત નિપજયું

1800

પાલિતાણા હસ્તગીરી જાળીયા ગામે રહેતા યુવાન પોલીસ કર્મચારીનું વાહન અકસ્માતમાં મોત નિપજતાં સમગ્ર પરિવાર અને ગામમાં શોક છવાઈ જવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ પાલિતાણા હસ્તગીરી જાળીયા ગામે રહેતા અને અમદાવાદ ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા સગરભાઈ બાવચંદભાઈ મેરને અમદાવાદ ખાતે બાઈક પર જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું. બનાવ બનતા સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પરિવારજનોને સોપી દીધા બાદ પરિવારજનોએ મૃતદેહને પાલિતાણાના હસ્તગીરી જાળીયા ગામે લાવી પોલીસબેડા દ્વારા મૃતક પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરી હતી. બનાવ બનતા પરિવારજનો અને સમગ્ર પંથકમાં શોક છવાઈ જવા પામ્યો હતો.

Previous articleચોરાઉ મોટરસાયકલો સાથે કરચલીયાપરાના શખ્સો જબ્બે
Next articleરાજપથ ક્લબ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ ર૦૧૮ને અભૂતપૂર્વ પ્રતિસાદ