જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ મંદિરે નવરાત્રી મહોત્સવનું આયોજન

798

આદ્યાશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી ભારતીય સંસ્કૃતિએ તહેવારોની સંસ્કૃતિ છે. તહેવારો ઉત્સવો આનંદ અને ખુશીઓ લાવે છે. વારાહસ્વરૂપ ગામે પાંચ મે નોરતે નવ દુર્ગામાંની નવ આરતીનું આયોજન કરેલું આ આરતીનો લાભ નાની બાળાએ અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટાફે લીધો હતો. ખેલૈયાએ રાસ ગરબાની રમઝટથી ધરતી ધ્રુજતી રહ્યા છે. શ્રેષ્ઠ રામનારને ઈનામ આપીને સન્માનિત રોજ કરવામાં આવે છે. નવરાત્રી સાથે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વારાહસ્વરૂપ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ વારાહસ્વરૂપ ગામ અને પુર્વ પર્મુખ મીઠાભાઈ લાખનોત્રા હરસુરભાઈ સરપંચ નિંગારા ભીખાભાઈ ઉપસરપંચ વાજુરભાઈ, બાબુભાઈડી. ઉપરસપંચ માલભાઈ ચાવડા પક્ષકાર ભરતભાઈ શિયાળ આજુબાજુ ગામોના લોકો ગરબા રમવા અને મેળા માણવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

Previous articleમોટી પાણીયાળી શાળાના આચાર્ય, વિદ્યાર્થીનીનું સરકાર દ્વારા સન્માન
Next articleબોટાદ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન અપાયું