રાણપુર પાસે આવેલ જાગતા મેલડી માતાજીનુ મંદીર આસ્થાનુ કેન્દ્ર બન્યુ

1526

બોટાદ જીલ્લા ના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર જાગતા મેલડી માં નુ મંદીર આવેલુ છે આ મંદીર સાથે ભક્તો ને છેલ્લા પંદર વર્ષથી આસ્થા જોડાયેલી છે આ જાગતા મેલડી માં એ દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અહી આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં છે જાગતા મેલડી માં ના ભુવા અને માતાજી ના સેવક કાંતાબેન મકવાણા અને તેમના પતિ ભીખાભાઈ મકવાણા આશરે પંદર વર્ષ પહેલા બોટાદ થી વસ્તડી સામા કાંઠાના મેલડી માંએ કાયમ જતા હતા અને તેમનુ મોટરસાઈકલ પેટ્રોલ વગર ચાલતુ હતુ ત્યારે રસ્તા માં અચાનક મોટરસાઈકલ બંધ થતા કાંતાબેન મકવાણા ને આભાસ થયો અને બાજુમાં આવેલ ખાળીયા માં ગયા અને ત્યા મેલડી માં પ્રગટ થયા હતા. પંદર વર્ષ પહેલા એક નાની એવી દેરી હતી અને આજે ભવ્ય મંદીર નુ નિર્માણ થયુ છે. ચાર ગામને સીમાડે આવેલુ આ જાગતા મેલડી માં ના મંદીરે કોઈ દોરાધાગા કે કોઈ પણ જાતનુ જોવામાં આવતુ નથી ભક્તોનની તમામ માનતા જાગતા મેલડી માં પરીપુર્ણ કરે છે.

Previous articleબોટાદ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન અપાયું
Next articleતળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે થનગનાટ નવરાત્રી મહોત્સવ યોજાયો