રાજભવન વસાહત યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજયપાલ ઉપસ્થિત રહ્યા

776

ગુજરાતના રાજયપાલ ઓ. પી. કોહલી ગઈકાલે રાત્રે રાજભવન વસાહત યુવક મંડળ દ્વારા રાજભવન કોલોનીમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને રાસ-ગરબાની રમઝટ નિહાળી હતી.

પ્રારંભમાં રાજપાલ અને લેડી ગવર્નર અવિનાશ કોહલીએ મા આદ્યશક્તિની આરતી ઉતારી પૂજા-અર્ચના કરી હતી.

યુવક મંડળના પ્રમુખ દિપક ડી. મકવાણા તથા અન્ય હોદ્દેદારોએ રાજપાલ અને લેડી ગવર્નરનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે રાજયપાલના પરિવારજનો, રાજભવનના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમાણેકપુરની જૂની માંડવીએ ગરબાની પરંપરા યથાવત
Next article૮૦ ટકાથી ઓછી હાજરી તો પરીક્ષામાં બેસવાની તક નહીં