માલણકા ખોડિયાર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન

1150

ભાવનગર જિલ્લાના માલણકા ગામ ખાતે આવેલ દવે, પટેલ, ભાયાણી, ભટ્ટ (સિહોર) તથા શાહ (જસપરા) પરિવારના કુળદેવી માલણકા ખોડિયાર માંના મંદિરે આસો મહિનાની નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રી દરમ્યાન દરરોજ ચંડીપાઠ માતાજીને પારે કરવામાં આવે છે અને દશેરાના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ગુજરાતભરમાંથી તેમજ  ગુજરાત બહારથી ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે. આસો નવરાત્રી નિમિત્તે આયોજીત નવચંડી યજ્ઞ, આસો સુદ-૧૦, દશેરાના દિવસે તા. ૧૮-૧૦ને ગુરૂવારે થશે. પ્રણાલિકા પ્રમાણે શ્રી યજુર્વેદ સંહિતા પાઠી ભરતભાઈ પાઠકના આચાર્યપદે હોમાત્મક નવચંડી યજ્ઞ સવારના ૧૦ઃ૦૦ કલાકે શરૂ થશે. શ્રીફળ હોમવાનો સમય સાંજના ૪-૦૦ કલાકનો છે.

Previous articleરાજ્યમાં કરોડોના ફાફડા-જલેબી અને ચોળાફળી ઝાપટવા લોકો તૈયાર
Next articleઢસા હાઈસ્કુલે બોક્સીંગમાં બાજી મારી