જમનાકુડ વાલ્મિકીવાસ આંગણવાડીમાં નવરાત્રી મહોત્સવની થયેલી ઉજવણી

681

ભાવનગર મહાનગર પાલિકા આઈસીડીએસ ઘટક એક જમનાકુંડ વાલ્મિકીવાસ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર-૭૭ અને કેન્દ્ર ૭પ-૧માં નવરાત્રી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ નવરાત્રી મહોત્સવનું પુર્વ નગરસેવક ભૂપતભાઈ દાઠીયાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરીને ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સંચાલીકા કલ્પનાબેન રાવળ, નજમાબેન અને જલ્પાબેન કનાડા દ્વારા બાળકોને રંગબેરંગી વેષભુષાઓ રાસ-ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલ. ધારાબેન ગોહિલને દાઠીયાના વરદ હસ્તે ઈનામ આપવામાં આવેલ. બાળકોને મીઠાઈ વહેંચવામાં આવેલ આભારવિધી કલ્પનાબેને કરી હતી.

Previous articleગ્રીનસીટી શહેર ઉપરાંત ભાવેણાના દરિયાકાંઠાને પણ હરિયાળો બનાવશે
Next articleનશીલા પદાર્થવાળો રૂમાલ સુંઘાડી ચોરી કરતા સગીર સહિત ત્રણને ઝડપી લીધા