મારા બાળકો માટે સંઘર્ષથી ભરપૂર જીવન નથી ઈચ્છતી કંગના રનૌત

862

બોલીવુડની ક્વીન કંગના રનૌતે જણાવ્યું કે તે પોતાના બાળકો અને નજીકના લોકો માટે સંઘર્ષથી ભરપૂર જીવન ક્યારેય નથી ઇચ્છતી જેવું તેનું જીવન રહ્યું છે. મણિકર્ણિકામાં લક્ષ્મીબાઇની ભુમિકા ભજવનાર કંગનાએ જણાવ્યું કે આ ફિલ્મ તેના માટે સરળ ન હતી. તેણીએ વધુમાં જણાવ્યું કે રાણી લક્ષ્મીબાઇએ ડગલેને પગલે સંઘર્ષ કરવો પડ્યો હતો. હું મારા નજીકના વ્યક્તિ માટે આવું ક્યારેય નહી ઇચ્છું. હું તેવું પણ નહી ઇચ્છું કે મારા બાળકોનું જીવન મારા જેવું હોય. હું નથી જાણતી કે મને સંઘર્ષ કર્યા વિના શા માટે કંઇ પણ નથી મળતું.કંગનાએ જણાવ્યું કે, મને સંઘર્ષ વિના કંઇ નથી મળ્યું. તે કહેવામાં મને કોઇ ગર્વ કે ખચકાટ નથી થઇ રહ્યો.  તેણીએ જણાવ્યું કે, દરેક ફિલ્મની પોતાની યાત્રા હોય છે અને આવું જ કંઇક મણિકર્ણિકા સાથે થયું. તે હકીકત છે કે શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી પરંતુ અમે હાર ન માની.

Previous articleટીપીએલનો ચહેરો બની સુમોના ચક્રવર્તી
Next articleચંદા મામા ફિલ્મને સુશાંતે આખરે છોડી દીધી : રિપોર્ટ