તળાજાના પીથલપુર ગામે નવરાત્રીની ભવ્ય ઉજવણી

937

તળાજાના પીથલપુર ગામે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દશેરાના દિવસે મહાકાળી માતાજીનું ખપ્પર કાઢવામાં આવ્યું હતું અને રામ-રાવણના આબેહુબ પાત્રો ભજવવામાં આવ્યા હતાં. અને ગામમાં ફરી ડાક-ડમરૂ તેમજ અબીલ-ગુલાલની છોળો વચ્ચે ચાર ચોકમાં આચર પુરવામાં આવ્યા હતાં. તથા માતાજીના હવનનું આયોજન કરાયું હતું. જેમાં માતાજીના પોઠીયાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleસિહોર પોલીસ મથકમાં શસ્ત્ર પૂજન
Next articleમહુવાના મોટી વડાળ ગામે ચામુંડા માતાના મઢેની નવરાત્રીની ઉજવણી