જિલ્લામાંથી તડીપાર કરેલ નવા રાજપરાનો શખ્સ ઝબ્બે

861

તળાજા તાલુકાના નવરા રાજપરા ગામે રહેતા શખ્સને જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ હોય જે શખ્સ ગામમાં હાજર હોવાની બાતમી આધારે એસઓજી ટીમે ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લાના પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ આવા તડીયાર થયેલ ઇસમોને ઝડપી પાડવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જી.પી. જાની તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને મળેલ બાતમી આધારે ભાવનગર તથા ભાવનગરના સરહદી જીલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર થયેલ ઇસમ મનસુખભાઇ ઉર્ફે આણંદભાઇ ઠાકરભાઇ ઢાપા ઉ.વ. ૨૪ રહે.નવા રાજપરા તા. તળાજા જીલ્લો ભાવનગરવાળાને  નવા રાજપરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

Previous articleવૃધ્ધ દંપતીની હત્યાના ચારેય આરોપી પાંચ દી’ના રિમાન્ડ પર
Next articleએમ.કે.ભાવ યુનિવર્સિટીમાં ચૂંટણી મુદ્દે સર્જાયેલ વિવાદમાં અંતે સમાધાન