તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાની નિબંધ સપર્ધામાં પ્રથમ નંબરે

807

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાત રાજયમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના નેજા હેઠળ રાષ્ટ્રીય એકતા અને સામુદાયિક સંવાદિતતા વિષય ઉપર જીલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધા તા. ૧૯-૧૦-ર૦૧૮ના રોજ બી.એમ.કોમર્સ હાઈસ્કુલ, ભાવનગર ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લાભરના વિદ્યાર્થીઓએ ઉત્સામભેર ભાગ લીધો હતો. જેમાં સમગ્ર જીલ્લાકક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર પર તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલમાં ધોરણ-૧૦ અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર દ્રષ્ટી કલ્પેશભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. તેઓ આગામી દિવસોમાં રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. તેમને સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પર વિજેતા થવા બદલ તા. ર૯-૧૦-ર૦૧૮ના રોજ ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસીમાના વરદ હસ્તે રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે.

Previous articleઓનલાઈન ખરીદી ટાળો, નાના વેપારીને બચાવો
Next articleવિજ્ઞાન મેળામાં શાળા નં. પરનો શ્રેષ્ઠ દેખાવ