ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવા આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી આવી રહ્યા છે ત્યારે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ઘોઘા ગામની દરિયાઈ સંરક્ષણ દિવાલનો વર્ષો જુનો પ્રશ્ન છે તે અંગે ઘઠતુ કરવા માંગણી કરાઈ છે. અને મોટી દુર્ઘટના થાય તે પૂર્વે દરિયાઈ સંરક્ષણ દિવાલ બને તે જરૂરી હોવાનું પણ કહેલ.