પાલિતાણા બીઆરસી સહિત ટીમનું શિક્ષણમંત્રીના હસ્તે થયેલું સન્માન

1013

તાલુકાના દિવ્યાંગ બાળકો પ્રત્યેની સરાહનીય કામગીરી કરવા બદલ પાલિતાણા બીઆરસી કો. હાર્દિકભાઈ વી. ગોહેલ અને આઈઈડી ટીમ પાલિતાણાને ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર પી. ભારતી દ્વારા ગાંધીનગર મુકામે સન્માનીત કરવામાં આવ્યા. દિવ્યાંગ બાળકો દ્વારા કેરલ પુર પીડીતો માટે ૧૦,૦૦૦/-નું ડોનેશન, ઉત્તરાયણમાં ૧૦૦ ફુટનો પતંગ બનાવીને ઉજવણી, રક્ષાબંધન પર્વમાં ૧૪૦૦ રાખડીનું નિર્માણ, ૧૩૬ બાળકોને સાધન સહાય અપાવવી જેવી પ્રવૃત્તિઓની કામગીરીને બિરદાવવા માટે સન્માન કરવામાં આવ્યું હતું.

Previous articleઆર.જે.એચ.હાઈસ્કૂલ ઢસા જંકશન બોટાદ જીલ્લાની શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી
Next articleટાટમ, ગોરડકા વચ્ચે ગમખ્વાર અકસ્માત  એક મહિલા સહિત બે વ્યકિતઓના મોત