તાલુકાના દિવ્યાંગ બાળકો પ્રત્યેની સરાહનીય કામગીરી કરવા બદલ પાલિતાણા બીઆરસી કો. હાર્દિકભાઈ વી. ગોહેલ અને આઈઈડી ટીમ પાલિતાણાને ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર પી. ભારતી દ્વારા ગાંધીનગર મુકામે સન્માનીત કરવામાં આવ્યા. દિવ્યાંગ બાળકો દ્વારા કેરલ પુર પીડીતો માટે ૧૦,૦૦૦/-નું ડોનેશન, ઉત્તરાયણમાં ૧૦૦ ફુટનો પતંગ બનાવીને ઉજવણી, રક્ષાબંધન પર્વમાં ૧૪૦૦ રાખડીનું નિર્માણ, ૧૩૬ બાળકોને સાધન સહાય અપાવવી જેવી પ્રવૃત્તિઓની કામગીરીને બિરદાવવા માટે સન્માન કરવામાં આવ્યું હતું.