હું પસંદગી કર્તાઓની માનસિક્તા નથી સમજી રહ્યો : સચિન તેંડુલકર

1009

ટીમ ઈન્ડિયા ભલે વન ડે સીરીઝમાં વેસ્ટઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત મેળવી હોય પરંતુ એક સવાલ અત્યાર સુધી દરેક ક્રિકેટના ફેન્સને ચોંકાવી રહ્યો છે, એમ એસ ધોનીની ટી૨૦માંથી હકાલપટ્ટી. ખરાબ ફોર્મના કારણે ધોનીને ડેબ્યૂ બાદ પ્રથમ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. ત્યારે હવે આ મામલે સચિન તેંડૂલકરનું નિવેદન સામે આવ્યું છે.

પસંદગીકારો પર સવાલ ઉઠાવતા સચિને કહ્યું, મુખ્ય નિર્ણય પર હું તેમની માનસિક્તા નથી સમજી રહ્યો. પરંતુ ડ્રસિંગ રૂમમાં કેપ્ટન, કોચ અને પસંદગીકારો સાથે થયેલી વાતચીત માત્ર તેઓ જ જાણી શકે છે. એવામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી દેશને ફાયદો થવો જોઈએ.

સચિને કહ્યું, ટીમ ઈન્ડિયાને એકાદ બદલવાની જરૂર પડે પરંતુ આપણી પાસે એક સારી ટીમ છે. ધોની હંમેશા ત્રણેય ફોર્મેટમાં સારૂ યોગદાન આપતો આવ્યો છે. તે જાણે છે કે કઈ રીતે કામ કરવું છે અને કઈ રીતે યોગદાન આપી શકાય છે.

સાથે-સાથે સચિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ભારતીય ટીમને શુભકામનાઓ પણ આપી હતી. ગુરૂમંત્ર આપતા સચિને કહ્યું, કાંગારૂઓને તેની ધરતી પર હરાવવા માટે આનાથી સારી તક ક્યારેય નહી મળે.

આ મામલે સચિન તેંડૂલકરનું નિવેદન સામે આવ્યું છે.

Previous articleઇવાન્સની જેસિકા બેલ અને ક્રિસ્ટીના સાથે હજુય મિત્રતા
Next articleધોની ખુદ ઈચ્છે છે કે હું ટી-૨૦ ફોર્મેટમાં ઋષભ પંતને મોકો આપું :  વિરાટ કોહલી