લાલુ યાદવનો મોટો પુત્ર તેજપ્રતાપ યાદવ લગ્નના પાંચ મહિના બાદ જ પોતાની પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડા લેવા માંગે છે. તલાક માટે તેજપ્રતાપ યાદવે પટના સિવિલ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી છે. તેજપ્રતાપે અરજીમાં કહ્યું છે કે, તે એશ્વર્યા સાથે રહેવા નથી માંગતો.પ્રાપ્ત માહિતી અનુસાર, લાલુ યાદવના ઘરમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને ભાઈ વચ્ચે ઝગડાઓના સમાચાર આવી રહ્યા છે, એવામાં હવે તેજપ્રતાપ યાદવે પોતાની પત્ની એશ્વર્યા રાયથી એલગ થવાનું મન બનાવી લીધુ છે.
આ અંતર્ગત તેજપ્રતાપે પટના સિવિલ કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ દાખલ કરી દીધી છે. તેજપ્રતાપ યાદવે ૧૩ (૧) (૧ટ્ઠ) હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે.