કૃષ્ણ સાગર તળાવમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો

1118

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળતા બોટાદ પોલીસે બીનવારસી લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદ પોલીસ મથકમાં કોઈ અજાણ્યા વ્યકિતએ કોલ કરી એવી માહિતી આપી હતી કે કૃષ્ણ સાગર તળાવમાં એક માનવ લાશ તરે છે જે બાતમી આધારે પોલીે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી તરતપાસ હાથ ધરેલ જેમાં મૃતક આશરે પ૦થી પપ વર્ષની વય ધરાવતો અને તેના ડાબા હાથ પર વાલા માધા ત્રોફાવેલુ માલુમ પડેલ તથા તેના કપડામાંથી અન્ય કોઈ પુરાવો દસ્તાવેજ નહિ મળી આવતા પોલીસ લાશને પી.એમ. અર્થે મોકલી તેના વાલી વારસાદારોની અર્થે મોકલી તેના વાલી વારસદારોની શોધખોળ આરંભી છે. પ્રજામતારણમાં આધેડનું ડુબી જતા મોત નિપજયું હોવાનું જણાઈ રહ્યું છે.

Previous articleટ્રક કમાનમાં ધુસી ગયો
Next articleદેના બેંક ભાવનગર દ્વારા સતર્કતા સપ્તાહ ઉજવાયું