ગરીબ પરિવારોને મીઠાઈના વિતરણ સાથે હીરાભાઈનો જન્મદિન ઉજવાયો

628

પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીનો પ૪મો જન્મદિન અનોખીરીતે ઉજવાયો ગરીબ વિસ્તારની ઝુંપડપટ્ટીમાં  ગરીબોના આશીર્વાદ લીધા મીઠાઈઓનું વિતરણ કરાયું. ં રાજુલામાં આજરોજ ઝુંપડપટ્ટીઓમાં રહેતા ગરીબ પરિવારોને મીઠાઈ વેચી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગરીબ પરિવારના નાના મોટાઓના આશીર્વાદ લીધા હતાં.  રાજુલાના પુર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના જન્મદિન નિમિત્તે આજરોજ યુવાનો દ્વારા હિંડોરણા રોડ પર આવેલ ઝુંપડપટ્ટીમાં મીઠાઈનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે રસિકભાઈ પારેખ, સંજયભાઈ સાંખટ, ભીખાભાઈ ચૌહાણ, કનુભાઈ ગોહિલ,  ભરતભાઈ બારૈયા, જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, શીવાભાઈ ભાલીયા, શંકરભાઈ બારૈયા, નયનભાઈ બામભણીયા, દિનેશ બામભણીયા સહિતના યુવાનો જોડાયા હતાં.

Previous articleવિદ્યાર્થીનીઓ માટે સોફટવેરનો વર્કશોપ યોજાયો
Next articleજિલ્લા ભાજપે યુવા પાંખને તલવારો આપી !