શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન યોજાયું

970

ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે ઈસ્કોન પાસેના સેતુ પાર્ટી પ્લોટ ખાતે નુતન વર્ષા સ્નેહમિલન સમારોહ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થીતિમાં યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાળા, પુર્વ કેન્દ્રીયમંત્રી વલ્લભભાઈ કથીરીયા, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનહરભાઈ મોરી, શહેર પ્રમુખ સનતભાઈ મોદી સહિત્‌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના આગેવાનોનું શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું. સ્નેહમિલન સમારોહમાં સંગઠનના રાજુભાઈ બાંભણીયા, મહેશભાઈ રાવળ, વનરાજસિંહ ગોહિલ, નાહીન કાઝી, હરૂભાઈ ગોંડલીયા, પુર્વ મેયર નિમુબેન બાંભણીયા, મહિલા મોરચાના દિવ્યાબેન વ્યાસ, જલ્વીકાબેન ગોંડલીયા, કિર્તીબેન દાણીધરીયા, યુવરાજસિંહ ગોહિલ, પરેશભાઈ પંડયા સહિત નગરસેવકો, વોર્ડ પ્રમુખો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જયારે ઉપસ્થીત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને તમામને નવા વર્ષની શુભેચ્છા આપવા સાથે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા આહવાન કર્યુ હતું.

Previous articleપૂ. જલારામ બાપાની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી
Next articleભાવનગર ટર્મીનર્સ રેલ્વે સ્ટેશને ટ્રેન દુર્ઘટનાની સફળ મોકડ્રીલ