’કેદારનાથ’ માટે સુશાંતે સારાને ઘોડેસવારીની ટીપ્સ આપી

1229

ફિલ્મ સર્જક અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથ માટે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે પોતાની હીરોઇન સારા અલી ખાનને ઘોડેસવારીની ટીપ્સ આપી હતી.

કેદારનાથ, બદ્રીનાથ, વૈષ્ણોદેવી વગેરે યાત્રાધામો દરિયાની સપાટીથી ખાસ્સા ઊંચે આવેલાં છે એેટલે જે લોકો પગે ચાલીને ચઢાણ ન કરી શકે એમને માટે ખચ્ચર તરીકે ઓળખાતા ઘોડા હોય છે. સારા અલી ખાને કેટલાંક દ્રશ્યો ઘોડેસવારીના આપવાના હતા. આમ તો એ નવાબજાદી કહેવાય પરંતુ એણે હજુ સુધી ઘોડેસવારીની તાલીમ લીધી નથી એટલે ફિલ્મ માટે ઘોડેસવારી કરવાની આવી ત્યારે એને તકલીફ પડી હતી.

પરંતુ ફિલ્મના હીરો સુશાંત સિંઘ રાજપૂત અચ્છા ઘોડેસવાર છે અને ચંબલના ડાકુઓની એક ફિલ્મમાં એણે સારી એવી ઘોડેસવારી પણ કરી છે એટલે એણે સારા અલી ખાનને ઘોડેસવારી કરવામાં સારી એવી સહાય કરી હતી એમ આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્ર કહ્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમારે મારી વેદનાને વહેંચવી છે : શાહરૂખ