દિલ્હીમાં પકડાયો હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી, એરપોર્ટ પરથી ધરપકડ

978

દિલ્હી એરપોર્ટ પર મંગળવારે દિલ્હી પોલીસના સ્પેશિલ સેલ દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે પકડવામાં આવેલા આ આતંકવાદીનું નામ અન્સારૂલ કહેવાઈ રહ્યું છે. આ આતંકવાદી ૨૮ ઓક્ટોબરના રોજ કાશ્મિરના પુલવામા જિલ્લામાં જમ્મુ-કાશ્મિર પોલીસના એસઆઈ ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યામાં સામેલ હતો. સ્પેશિયલ સેલની તેની દરેક મૂવમેન્ટ પર છેલ્લા ૧૫-૨૦ દિવસથી નજર હતી. ૨૦ નવેમ્બર એટલે કે આજના દિવસે તે જેવો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

વાત એમ છે કે, જન્મુ-કાશ્મીરમાં સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકવાદીઓને શોધી-શોધીને મોતને ઘાટ ઉતારી રહી છે.

તેનાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવાના શરૂ કર્યા છે. આ જ સંદર્ભે આતંકવાદીઓએ એક ધમકી આપી હતી કે ઘાટીના પોલીસ કર્મચારીઓ અને એસપીઓ પોતાની નોકરીઓ છોડી દે. આ ધમકી બાદ ઈમ્તિયાઝની હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ આ આતંકવાદી ફરાર થઈ ગયો હતો.

 

Previous articleસીબીઆઇ વિવાદ : વર્માના જવાબ ઉપર સુનાવણી ટળી
Next articleઅફઘાનની રાજધાની કાબુલમાં બૉમ્બ બ્લાસ્ટ, ૪૦નાં મોત