રાણપુરમાં ઇદે મિલાદની ધામધુમથી ઉજવણી થઈ

674

બોટાદ જીલ્લાના રાણપુરમાં બુધવારે ઇસ્લામ ના મહાન પયગંબર મહંમદ સાહેબ ના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતુ આ ઝુલુસ રાણપુરના આંબલીયા ચોરા થી શરૂ થયુ હતુ અને મોટાપીરના ચોકમાં થઈને રાણપુર ની મુખ્યબજાર મા ઝુલુસ ફરીને આંબલીયા ચોરે પોહોચ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના મુખ્ય આગેવાનો સહિત રાણપુરની તમામ મસ્જિદોના ઇમામ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, ઝુલુસ માં ઠેર ઠેર નિયાઝ નું વિતરણ કરવામાં આવ્યું હતુ આજનો દિવસ મુસ્લિમ સમાજ નો ખુશી નો દિવસ છે આજના દિવસ સંદર્ભે દેશ ની એકતા અને દેશના ભાઈચારો,અમાન માટે ખાસ દુઆ કરી હતી અને ભારત ના લોકો ઉપર આવનાર તમામ આફત અને મુસીબત દુર થાય તેવી રાણપુર ના મુસ્લિમ  લોકો એ દુઆ ફરમાવી હતી.

Previous articleઅલખઘણી ગૌશાળાના સંચાલકને બે ઈસમોએ માર મારતા ગૌ ભક્તોમાં રોષ
Next articleGMDCના જનરલ મેનેજર ગર્ગની બદલી થતા વિદાય સમારોહ યોજાયો