ભાવનગર વિદ્યાનગર ગાંધી સોસાયટી પાસેના રસ્તો તાત્કાલીક બનાવવા આ વિસ્તારના નગરસેવીકા પારૂલબેન ત્રિવેદી સમક્ષ આ વિસ્તારના લોકોએ રજુઆત કરી હતી. કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે પણ આ રસ્તો તાકિદ થવા તંત્રને વાત કરી હતી. લતાના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રસ્તા આડે કેટલાંક દબાણોની પણ રજુઆત થવા પામેલ. મોટી સંખ્યામાં આવેલ પારૂલબેન ત્રિવેદી સમક્ષ મહિલાઓ દ્વારા પણ વિગતે રજુઆતો કરાય હતી.