ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-૨૦ વરસાદને કારણે રદ્દ

1228

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-૨૦ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે.  ઓસ્ટ્રેલિયાએ ૧૯  ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૩૨ રન બનાવી લીધા હતા. આ સમયે વરસાદ પડતા ભારતને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે છેલ્લે જીતવા માટે ૫ ઓવરમાં ૪૬ રનનો લક્ષ્યાંક મળ્યો છે. જોકે વરસાદ ચાલુ રહેતા મેચ રદ કરવામાં આવી હતી.

આ સાથે ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦થી આગળ છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ ૨૫ નવેમ્બરે રમાશે.

સુકાની એરોન ફિન્ચ (૦) પ્રથમ ઓવરના બીજા જ બોલે આઉટ થતા શરુઆત ખરાબ રહી હતી. લિન (૧૩) અને શોર્ટ (૧૪) પર સારી શરુઆતને મોટા સ્કોરમાં ફેરવી ન શકતા અહમદનો શિકાર બન્યા હતા. મેક્સવેલ (૧૯), સ્ટોનિસ (૪) અને કેરી (૪) પણ સસ્તામાં આઉટ થતા ઓસ્ટ્રેલિયાએ ૭૪ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી.

નીચલા ક્રમે મેકડ્રેમોટ (૩૨), કુલ્ટર નાઇલ (૨૦) અને ટાયે (૧૨) ઉપયોગી બેટિંગ કરી ટીમને ૧૩૨ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

ભારત તરફથી ખાલિલ અહમદ અને ભુવનેશ્વરે ૨-૨ વિકેટ ઝડપી હતી. બુમરાહ, કુલદીપ અને ક્રુણાલને ૧-૧ વિકેટ મળી હતી.

 

Previous articleમહિલા ટી-૨૦ વર્લ્ડ કપઃ ઈંગ્લેન્ડ સામે હારતા ભારત ટૂર્નામેન્ટમાંથી આઉટ
Next articleસ્મશાન વત શાંતિમાં વાંચન, લાઇબ્રેરી જ સ્મશાનમાં બનાવવામાં આવી છે