ભવિષ્યમાં ફોર્મ્યુલા ફિલ્મો ચાલવાની નથીઃ ચિત્રાંગદા

878

અભિનેત્રી ચિત્રાંગદા સિંઘે કહ્યું હતું કે ફોર્મ્યુલા ફિલ્મોનો સમય હવે પૂરો થયો. ભવિષ્યમાં ફોર્મ્યુલા ફિલ્મો ચાલવાની નથી. દર્શકોને હવે કંઇક નવું જોઇએ છે. અત્યાર  અગાઉ બિનપરંપરાગત રોલ્સ સ્વીકારનારી આ અભિનેત્રી માને છે કે એને પોતાને માટે સૈફ અલી ખાનની બાઝાર ફિલ્મ સફળ હતી. પછી ભલે આ ફિલ્મે બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ ન કર્યો હોય. એણે કહ્યું કે ઓડિયન્સ હવે જુદા પ્રકારની ફિલ્મો પણ સ્વીકારતું થયું છે એ બિનપરંપરાગત ફિલ્મો બનાવનારા સર્જકો અને મારા જેવા કલાકારો માટે ખૂબ આનંદની વાત છે. દાયકાઓથી એકના એેક પ્રકારની ફોર્મ્યુલા ફિલ્મો બનતી રહી અને દર્શકો જોતાં રહ્યાં. હવે એ નહીં ચાલે. દર્શકો માટે આખી દુનિયાનું મનોરંજન આંગળીના ટેરવે આવી ગયું છે. હવે ફોર્મ્યુલા ફિલ્મોનો યુગ પૂરો થયો ગણી શકાય. ’ફિલ્મ સર્જનમાં અત્યારે જે પરિવર્તન આવી રહ્યું છે.

Previous articleશમાં સિકંદર બે વર્ષથી દુનિયાના સૌથી સુંદર સ્થળોની મસાફરી કરી રહી છે
Next articleકાર્તિક આર્યનની સાથે હવે સારા રોમાંસ કરતી દેખાશે