બુરે દિન જાનેવાલે હૈ, રાહુલ ગાંધી આનેવાલે હૈ : સિદ્ધુ

703

તેલંગાણા વિધાનસભા ચુંટણીમાં પ્રચાર માટે હૈદરાબાદ પહોંચેલા પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ નવો નારો આપ્યો છે. સિદ્ધુએ કહ્યું કે, અમે રાહુલ ગાંધીના સિપાહી છીએ, મારો નારો છે કે ખરાબ દિવસો જવાનાં છે અને રાહુલ ગાંધી આવવાનાં છે. લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાનાં છે, કોઇ રોકી શકે તો રોકો. સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં સિદ્ધુએ તેમની પાકિસ્તાન યાત્રાના વિવાદ અંગે કહ્યું કે, જ્યારે હું પાકિસ્તાન ગયો હતો અને ત્યાંથી પરત કરતારપુર કોરિડોરની વાત કરી હતી ત્યારે લોકોએ મારી મજાક ઉડાવી હતી. હવે તે જ લોકો પોતાનાં નિવેદનો બદલીને યુટર્ન લઇ રહ્યા છે અને પોતાને ખોટા ઠેરવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનાઇ કરી હોવા છતા પાકિસ્તાન જવાનાં સવાલ અંગે સિદ્ધુએ કહ્યું કે, પંજાબના મુખ્યમંત્રીએ મને પાકિસ્તાન જવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ ૨૦ અન્ય કોંગ્રેસીઓએ મને જવા માટે જણાવ્યું હતું.

Previous articleરાજ્યભરમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો વધ્યો
Next articleપાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફ