શરદ યાદવે વસુંધરા રાજે વિશે કરેલી ટિપ્પણી બદલ ખેદ વ્યક્ત કર્યો

773

રાજસ્થાનના વિદાય લઈ રહેલા મુખ્યમંત્રી વસુંધરા રાજેને લઈને પૂર્વ કેન્દ્રિય મંત્રી શરદ યાદવે તાજેતરમાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. યાદવે હવે તેમની ટિપ્પણી બદલ માફી માગી દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ વસુંધરા રાજેને પણ આ અંગે પત્ર લખશે.શનિવારે મીડિયા સાથે વાતચીતમાં યાદવે જણાવ્યું કે, ‘મે તેમનું (વસુંધરા રાજે) નિવેદન સાંભળ્યું. મારે તેમની સાથે ઘણા જૂના પારિવારિક સંબંધો છે. જો મારા શબ્દોથી તેમની લાગણી દુભાઈ હોય તો હું મારા નિવેદન બદલ ખેદ વ્યક્ત કરું છું. હું તેમને પત્ર પણ લખીશ.’

ઉલ્લેખનીય છે કે અલવરની મુંડાવર બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધનના એક ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં શરદ યાદવે વસુંધરા રાજે વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી.

શરદ યાદવે કહ્યું હતું કે, ‘વસુંધરાને આરામ કરવા દો તેઓ બહુ થાકી ગયા છે. ઘણા જાડા થઈ ગયા છે.’ શરદ પવારના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો હતો જેની આકરી ટિકા થઈ હતી.

Previous articleઇડી રેડઃ વાડ્રા બાદ કોંગી નેતા જગદીશ શર્માના ઘરે દરોડા
Next articleસર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે હુડાના નિવેદન બાદ રાહુલના પ્રહાર