સંસ્કાર તીર્થ કન્યા વિનય મંદિરમાં ઉર્જા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

648

માણસા તાલુકાના જોળ ગામે આવેલ સંસ્કાર તીર્થ ની કન્યા વિનય મંદિરમાં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા ઉર્જા પોસ્ટર પ્રદર્શન, ઉર્જા ક્વિઝ, ઉર્જા જાગૃતિ ફિલ્મ, ઉર્જા પ્રશ્નોત્તરી જેવા વિવિધ કાર્યક્રમો પ્રદર્શિત કરાયા હતા સાથે નિસર્ગ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર અનિલભાઈ પટેલ દ્વારા ઉર્જા જાગૃતિ માટે ના વિવિધ પ્રકલ્પો પર વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને છેલ્લે આચાર્ય અંજનાબેન ના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે આવેલા નિસર્ગ સાયન્સ સેન્ટરના અનિલભાઈ પટેલે સંપૂર્ણ માર્ગદર્શન અને કાર્યક્રમ આપ્યો હતો.

Previous articleમગફળી બાદ હવે તુવેર કાંડ ગોલમાલ પ્રકરણમાં ગોડાઉન સીલ
Next articleકેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત ભ્રષ્ટ કામગીરી કરનાર સામે તપાસ ક્યારે!