સગીરાને ભગાડી જવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી : એલસીબી

1621

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં ફરતાં આરોપીઓની તપાસ અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન કુંભારવાડા સર્કલ પાસે આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા રૂરલ ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી અરવિંદ ઉર્ફે ભોલો શીતળામાંની દેરી પાસે ઉભો છે.જેથી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી અરવિંદ ઉર્ફે ભોલો વલ્લભભાઇ વાઘેલા ઉ.વ.૨૨ રહે.જાળીયા (હસ્તગીરી), પાલીતાણા હાલ-ગીરનાર સોસાયટી,કુંભારવાડા,ભાવનગરવાળા હાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને બોરતળાવ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ. આ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય.જેથી નાસતાં-ફરતાં આરોપીને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

આમ, સગીર વયની બાળાને લલચાવી-ફોસલાવી અપહરણ કરવાનાં ગુન્હામાં છેલ્લાં પાંચેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

Previous articleશહેરના શેરડીપીઠના ડેલામાં તસ્કરોની ખેપ
Next articleનાળામાં મીની લકઝરી ખાબકતા માસુમ બાળા સહિત ૫ના મોત