સ્ક્રીપ્ટની પસંદગીમાં ગોથું કેમ ખાતા હશે..?!! : અર્શદ વારસી

869

કોમેડિયન અર્શદ વારસીએ કહ્યું હતું કે જેમને  બેસ્ટ સ્ક્રીપ્ટ્‌સની ઑફર મળતી હોય છે એવા ટોચના ગણાતા સ્ટાર્સ સ્ક્રીપ્ટ્‌સની પસંદગીમાં ગોથું કેમ ખાઇ જતાં હશે ? એ વાતનું મને સતત વિસ્મય થાય છે. રાજકુમાર હીરાણીની મુન્નાભાઇ સિરિઝ, જોલી એલએલબી અને ગોલમાલ જેવી સુપરહિટ ફિલ્મોમાં કોમેડી કરી ચૂકેલા અર્શદે કહ્યું કે જો મોખરાના કલાકારોની સ્થિતિ આવી હોય તો અમારા જેવા કલાકારોની ક્યાં વાત કરવી ?

’ફિલ્મોદ્યોગમાં સફળતા અને હિટ ફિલ્મોના આધારે કલાકારોને સ્ક્રીપ્ટ્‌સની ઑફર્સ મળતી હોય છે. મોખરાના સ્ટાર્સ ગણાતા અદાકારોને બેસ્ટ કહેવાય એવી સ્ક્રીપ્ટ્‌સની ઑફર્સ મળતી હોય છે. છતાં એ લોકો ગોથું ખાઇ જાય ત્યારે મારા જેવા કલાકારને વિસ્મય થતું રહ્યું છે. આ કલાકારો ક્યાં ગોથું ખાઇ જાય છે અનેે કેવી રીતે આવું થાય છે એ વાતની મને સતત નવાઇ લાગે છે’ એમ અર્શદે કહ્યું હતું.

એણે ઉમેર્યું હતું કે સુપર સ્ટાર ગણાતા કલાકારોને તો સતત બેસ્ટ કહેવાય એવી સ્ક્રીપ્ટ્‌સ સહેલાઇથી મળી જતી હોય છે. અને છતાં ફિલ્મ રજૂ થાય ત્યારે બોક્સ ઑફિસ પર પીટાઇ જતી જોવા મળે છે.

Previous articleરાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, ડેપ્યુટી સીએમ સચીન પાયલોટ
Next articleશિલ્પા શેટ્ટી કુન્દ્રાએ દુબઇમાં ઇવા લોંગોરીયા બેસ્ટન સાથે ગ્લોબલ ગિફ્ટ ગાલામાં હાજરી આપી!