ન્યૂઝીલેન્ડ સિરિઝ માટે લાસિથ મલિંગાને શ્રીલંકાએ કેપ્ટન બનાવ્યો

1234

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યાના ત્રણ મહિના બાદ અનુભવી ઝડપી બોલર લાસિથ મલિંગાને ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર વન ડે અને ટી-૨૦ સિરીઝ માટે શ્રીલંકા ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વનડે અને ટી-૨૦માં સતત કપ્તાની કરતો આવેલ દિનેશ ચંદીમલ પાસેથી કેપ્ટનશીપ આંચકી લેવામાં આવી છે અને પસંદગી સમિતિ બદલાતા જ વનડે ટીમના કેપ્ટનને પણ બદલી દેવામાં આવ્યો છે. નવી પસંદગી સમિતિએ ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર રમાનાર વનડે અને ટી-૨૦ સિરીઝ માટે મલિંગાને ટીમની કમાન સોંપી છે. ત્યાં જ વિકેટકીપર નિરોશન ડિકવેલાને ટીમનો ઉપ કપ્તાન બનાવવામાં આવ્યો છે.

મલિંગા ગત લગભગ એક વર્ષથી ફોર્મ અને ફિટનેસને લઇ શ્રીલંકાની ટીમછી બહાર હતો. તેણે સપ્ટેમ્બરમાં રમાયેલ એશિયા કપ દરમિયાન રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી હતી. મલિંગા સિવાય એંજેલો મૈથ્યુઝની પણ ટીમમાં વાપસી થઇ છે. આ સિવાય સીકુગે પ્રસન્ના અને બેટ્‌સમેન અસેલા ગુણારત્ને પણ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

Previous articleથાઈલેન્ડની ઈન્તાનોનને હરાવી પી વી સિંધૂનો ફાઈનલમાં પ્રવેશ
Next articleપર્થ ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૨૬ રન બનાવી ઓલઆઉટ થયુ