હદપારના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેતી એલસીબી

697

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર, એલ.સી.બી. ઓફિસ હાજર હતાં. તે દરમ્યાન પો.કો. જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ઇનાયત ઉર્ફે તોલો યુનુસભાઇ ડેરૈયા રહે.મદિનાબાગ મસ્જીદ પાસે, નવાપરા, ભાવનગરવાળાને ભાવનગર તથા આજુ-બાજુનાં જીલ્લાઓમાંથી હદપાર કરેલ છે.તેમ છતાં તે ભાવનગર તેનાં ઘરે આવેલ છે. જેથી તે જગ્યાએ જઇ તપાસ કરતાં ઇનાયત ઉર્ફે તોલો યુનુસભાઇ ડેરૈયા ઉ.વ.૨૭ રહે. મદિનાબાગ મસ્જીદ પાસે, નવાપરા, ભાવનગરવાળા હાજર મળી આવેલ. જેથી તેનાં  વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ. આમ, ભાવનગર એલ.સી.બી. ટીમે ભાવનગર સહિત અન્ય આજુ-બાજુ નાં જિલ્લામાંથી હદપાર કરેલ ઇસમને હદપાર ભંગ કરવા બદલનાં ગુન્હામાં ઝડપી પાડેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, અરવિંદભાઇ પરમાર,મીનાજભાઇ ગોરી,કેવલભાઇ સાંગા, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleખેડૂતની દેવા માફીની વાત કરી કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે : મોદી
Next articleજુનિયર નેશનલની હેન્ડબોલ ટુર્નામેન્ટની સ્પર્ધામાં પસંદગી પામતી બચવાની બરખા