ચાઈના ડેલીગેશન મનપાની મુલાકાતે  ડે. મેયરે આવકારી માહિતી આપી

919

ગુજરાતના ઔદ્યોગિક સર્વેની મુલાકાતે આવેલા એક ચાઈના ડેલીગેશને આજે રાજયના પાટનગરની મહાનગર પાલિકાની મુલાકાત લીધી હતી.

મહાનગર પાલીકાના ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડાએ આ ડેલીગેશનને આવકારી રાજયના પાટનગર તેમજ મહાનગર પાલિકાની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. જેથી ચાઈના ડેલીગેશને સંતોષ વ્યકત કર્યો હતો. રાજયના પાટનગરમાં બેટરી આધારિત ઉદ્યોગ સ્થાપવાની શકયતાઓ અંગે તપાસ કરી રહેલા આ ડેલીગેશનને ગાંધીનગર પાટનગર હોવાને નાતે કેમિકલ ફ્રી ઝોન હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે આ ડેલીગેશને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો સમય પણ માગ્યો હોઈ, ત્યાંથી સ્વર્ણિમ સંકુલ રવાના થયું હતું.

Previous articleBJP મહિલા સમ્મેલન : નેતાઓએ છેલ્લી ઘડીએ હાથ ઉંચા કરતા,મહિલા અગ્રણીઓ રઝળ્યાં
Next articleDG કોન્ફરન્સ : ગુહમંત્રી રાજનાથ સિંહ પહોચ્યા ટેન્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત