અહિચ્છત્ર ક્રિકેટ લીગનો પ્રારંભ

798

અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર-ભાવનગર દ્વારા રેલ્વે સ્ટેડીયમ ખાતે આજથી અહિચ્છત્ર ક્રિકેટ લીગનો પ્રારંભ કરાયો છે. જેમાં ભાવનગર ઉપરાંત જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. જેના કારણે ભાવનગરમાં આઈપીએલ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર દ્વારા રેલ્વે સ્ટેડીયમ ખાતે કરાયેલા ટુર્નામેન્ટના આયોજનના ઉદ્દઘાટન બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. બે દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં દરેક મેચ ૧૪ ઓવરની રમાડવામાં આવશે. ટુર્નામેન્ટમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરત, જુનાગઢ અને બોટાદ સહિત જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે અને ખેલદિલીપૂર્વક રમત રમી રહ્યાં છે. તમામ જિલ્લાની ટીમોના ખેલાડીઓ સહિત જ્ઞાતિના આગેવાનો માટે ભાવનગર અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ટુર્નામેન્ટને સફળ બનાવવા મિતેષ ભટ્ટ, અમીત ભટ્ટ, મિલીન્દ ભટ્ટ, પ્રણવ ભટ્ટ, પ્રશાંત ભટ્ટ, સંજય જોશી, માધવ પંડ્યા તથા ઉર્વિશ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યાં છે.

Previous articleનંદકુંવરબા કોલેજ દ્વારા સન્માન સમારોહ
Next articleકસ્બા અંજુમને ઈસ્લામ દ્વારા જિલ્લા જેલમાં મેડીકલ કેમ્પ