ઉમરાળા પોલીસ દ્વારા નશાખોરોને ઝડપી લેવા હાથ ધરાયેલી કાર્યવાહી

721

ભાવનગર જિલ્લાના ઉમરાળાના જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ચુડાસમા અને તેની ટિમના કોન્સટેબલ અભયભાઈ પરમાર શક્તિસિંહ ગોહિલ જગતસિંહ ગોહિલ સહિતના દ્વારા આગામી દિવસોમાં આવી રહેલ ૩૧ ડિસેમ્બર થર્ટીફસ્ટ અનુસંધાને બ્રેથ એનાલાઇજિંગ મશીન દ્વારા નશો કરેલ વાહન ચાલકોનું કડક ચેકીંગ કરવામાં આવ્યું

ઉમરાળા પોલીસ સ્ટેશન નીચેના હાઇવે રોડ ઉપર ઉમરાળાના દાતાર ચોકડી અને ધોળા ઉત્સવ ચોકડી પાસે નશો કરેલ ડ્રાઇવિંગ લાઈસન્સ સીટ બેલ્ટ ઓવરલોડ સહિતનું સઘન વાહન ચેકીંગ હાથ ધરાયુ. ટ્રાફીકને અડચણ રૂપ ૨ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા ૨૮૩ મુજબ ત્રણ વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવીયો ઉમરાળા પી.એસ.આઈ. ચુડાસમાએ જણાવ્યુ કે કોઈપણ પ્રકારનો દારૂ સહિતના નશાખોરો  કે નશો કરેલાને બક્ષવામા નહિ આવે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

Previous articleરાજુલા તાલુકામાં નવી પ્રાથ. શાળાના મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઈ. ખાતમુહુર્ત
Next articleદામનગર શહેરના રેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત