સિહોર તાલુકાના રેલ્વે ફાટક પાસેથી રસ્તામાં એક અસ્થિર મગજની મહિલા મળી આવી હતી જેની જાણ રસ્તામાં જતા વટેમાર્ગુ દ્વારા ૧૮૧માં કોલ કરીને કરવામાં આવી હતી. ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન ટિમના કાઉન્સેલર સરવૈયા વૈશાલી, પાયલોટ રામદેવસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકી દિવ્યાબેન તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતાં. ઘટના સ્થળે પહોંચીને ગભરાયેલી મહિલાને શાંત પાડીને સાંત્વના આપી હતી. મહિલાને પુછપરછ દરમિયાન જાણવા મળેલ કે મહિલા સિહોરની રહેવાસી છે અને અસ્થિર મગજનને કારણે ઘરેથી નિકળી આવેલ હતી. મહિલાએ જણાવ્યા પ્રમાણેના સરનામાંથી ૧૮૧ ટીમ મહિલાને તેમના ઘર સુધી પહોંચાડી હતી.