નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

1149

નેહરૂ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા એક ભારત, શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ડૉ. આંબેડકર હોલ, સેકટર – ૧ર ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. છત્તીસગઢના પ૦ યુવા કલાકારો/ ગુજરાતના યુવા કલાકારો દ્વારા રાષ્ટ્રભક્તિનો અને વિવિધતામાં એકતાના દર્શન કરાવે તેવો સુંદર કાર્યક્રમ રજુ કરાયો હતો. જેમાં ગણેશ વંદા, વંદે માતરમ, છત્તીસગઢના લોકનૃત્ય, ગીતો, સ્વચ્છ ભારત અભિયાનનું નાટક, ગુજરાતના રાસગરબા, તલવાર નૃત્ય, દેશભક્તિનું નૃત્ય, કથક વગેરે પ્રકારના સુંદર નૃત્યો રજુ થયા હતા.

Previous articleકિવિઝે લંકાનો વ્હાઇટવોશ કરી વનડે સિરીઝ ૩-૦થી જીતી
Next articleJMP ગોપાલક વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ ઇસરોની મુલાકાતે