વડાપ્રધાન નરેન્દ્ર મોદી શેત્રુંજી ડેમમાં નર્મદાના નીરના વધામણા કરશે..!!

4599

ચાલુ વર્ષ દરમિયાન ચોમાસામાં વરસાદ ઓછો પાડવાને કારણે શેત્રુંજી ડેમ પાણીની ઘટ જોવા મળી રહી છે હાલ ડેમ સ્થતિ જોઈએ તો માત્ર ૨૦ ટકા જેટલું પાણી છે ૧૪ ફૂટ ની સપાટી રહી છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવનારી ૧૭ અથવા ૧૯ તારીખના રોજ ભાવનગર જીલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમમાં નર્મદા નીરના વધામણા માટે આવનાર છે ત્યારે હાલ શેત્રુજી ડેમની કાયાપલટ કરવા અર્થે તંત્ર મહેનત કરી રહ્યું છે શેત્રુજી ડેમ ખાતે હાલ રંગ રોગાન તેમજ સાફ સફાઈ ચાલી રહી છે આવનારા દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા નીરના વધામણા કરવાના છે ત્યારે તંત્રની  દ્વારા તડામાર તૈયારી કરી રહી છે.

સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી પર પાલીતાણા નજીક આવેલ શેત્રુજી ડેમનું જવાહરલાલ નહેરુના હસ્તે ઉદ્ઘાટન થયેલ, આ શેત્રુજી ડેમ કુલ ૩૦૮.૬૮ ઘ.મીનો જળસંગ્રહની ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જીલ્લા માટે આશીર્વાદ સમાન છે, આ ડેમમાંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ જીલ્લાના પાલીતાણા, ગારીયાધાર તળાજા, મહુવા તાલુકાના ગામડાઓને પણ પીવાનું તેમજ પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમ માંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલો મારફતે પાલીતાણા, તળાજા, ઘોઘા મહુવાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાનાં કારણે શેત્રુજી ડેમમાં માત્ર ૨૦ ટકા જેટલું પાણી રહ્યું છે જો કે ડેમમાં પાણીની અછતનો આતુરતાનો અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આગામી ૧૭ અથવા ૧૯ તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના વધામણા કરવાના છે જેની તૈયારીઓના  ભાગ રૂપે તંત્ર એલર્ટ હોય તેવું લાગી રહ્યું છે શેત્રુજી ડેમ રંગ રોગાન તેમજ સાફ સફાઈ સહિતની જુંબેશ ચાલી રહી છે તદ ઉપરાંત ડેમ ખાતે સી પ્લેનમાં જો વડાપ્રધાન આવે તો તેની માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ જો બાઈ એર આવશે તો તેમાટે  પણ હેલી પેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Previous articleસંયુકત ટ્રેડ યુનિયન દ્વારા રેલી, માનવ સાંકળ
Next articleપોસ્ટ કર્મચારીઓના ધરણા