ગુજરાત ચૂંટણી : ૮૯ વિધાનસભા સીટની ચૂંટણી આજે પ્રચારનો અંત

919
guj7122017-6.jpg

રાજય વિધાનસભાની બે તબકકામાં યોજાનારી ચૂંટણીના પહેલા તબકકામાં ૧૯ જિલ્લામાં સમાવિષ્ટ  ૮૯ બેઠકો માટેના પ્રચાર પડધમ આવતીકાલ ગુરૂવાર સાંજથી શાંત થઈ જશે.બાદમાં ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.રાજય વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર આ ચૂંટણી યોજાઈ રહી છે આ પરિસ્થિતિમાં જ્યાં એક તરફ વડાપ્રધાને પોતે તેમના પક્ષ ભાજપને ૧૫૦ થી વધુ બેઠકો પર વિજયી બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રચારકાર્ય માટે ગુજરાતની વિવિધ સ્થળોએ જાહેરસભાઓ કરી હતી ત્યાં બીજી તરફ કોંગ્રેસ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ ઉમટી પડયા હતા.શનિવારે જે ૮૯ બેઠકો ઉપર મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે એમાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૯ જિલ્લાનો સમાવેશ થાય છે.પહેલા તબકકાની ચૂંટણી માટેના જંગમાં કુલ મળીને ૯૭૭ જેટલા ઉમેદવારોનુ ભાવિ મતદારો મતદાન કરી નકકી કરશે.રાજયમાં પ્રથમ તબકકાની ૮૯ બેઠકો માટે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પ્રચાર કાર્યમાં ઓખી વાવાઝોડાની સંભાવનાને લઈને એક દિવસ ખરાબ હવામાનને કારણે બંને રાજકીય પક્ષોનો ખરાબ થવા પામ્યો હતો.
શનિવારે મતદાન અગાઉ આવતીકાલે ગુરુવાર સાંજથી પ્રચારનો અંત આવશે.દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેન્દ્રીય પ્રધાનો, નેતાઓની સભાઓ, રેલીઓ અને રોડ શો યોજવામાં આવ્યા હતા. ભાજપ તરફથી આ અગાઉ નાણાંમંત્રી અરૂણ જેટલી, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધા રાજે સહિતના નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા.તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ઉપરાંત જયોતિરાદિત્ય સિંધીયા, પી.ચિદમ્બરમ, ગુલામનબી આઝાદની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ વિવિધ બેઠકો માટે પોતાના પક્ષ તરફથી પ્રચાર કર્યો.
  વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવારી કરવામા આવી રહી છે ત્યારે રાજકોટ બેઠક ઉપર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે.ગુજરાત વિધાનસભા માટે આ વખતે યોજાઈ રહેલી ચૂંટણી દેશ અને વિદેશમાં પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે.
પહેલીવખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર આ ચૂંટણી યોજાઈ રહી છે.આ ઉપરાંત રાજયમાં પાટીદાર ફેકટર સહિત અનેક પરિબળો આ વખતના ચૂંટણીજંગમાં સામે આવવા પામ્યા છે.આ પરિસ્થિતિમાં જયાં ભાજપ વિકાસના મુદ્દા સાથે છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં ચાલી રહેલા પોતાના શાસનની અવધી વધુ પાંચ વર્ષ જળવાઈ રહે એ 
હેતુ સાથે ૧૫૦ થી પણ વધુ બેઠકો સાથે ચૂંટણી જીતવા મેદાનમાં છે તો સામે પક્ષે કોંગ્રેસ રાજયમાં પોતાનો ૨૨ વર્ષનો રાજકીય સન્યાસ પુરો કરવા મેદાનમા ઉતરશે. ગુરૂવારે પ્રચારપડઘમ શાંત બન્યા બાદ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે આ સાથે જ શુક્રવારની રાત ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે ખરાખરીની રાત બની રહેશે.

Previous articleરૂપાણી સરકારની જાહેરાત : ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અપાશે
Next articleરામમંદિર મુદ્દે કોંગ્રેસ હવનમાં હાડકા નાંખવાનું કામ કરે છે : મોદી