એલાનના પગલે દુકાનો બંધ કરાવી

1447

ભાવનગર જિલ્લાના દાઠા પંથકના ગામોમાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરાતા માઈનીંગનો વિરોધ કરતા લોકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ, ટીયરગેસ સેલ છોડી અસંખ્ય લોકોને પકડી જેલ હવાલે કરી બળપ્રયોગ કરવાના વિરોધમાં કલ હમારા સંગઠન દ્વારા તા. ૧૦ને ગુરૂવારે ભાવનગર બંધનું એલાન આપ્યું હતું અને કાર્યકરો બજારમાં દુકાનો બંધ કરાવવા નિકળ્યા હતાં. જો કે કોઈ અનિચ્છનિય ન બને તે માટે પોલીસ કાફલો સતત સાથે રહીને બંદોબસ્ત જાળવ્યો હતો.

Previous articleખેડૂતો પર બળપ્રયોગનો એનસીપી દ્વારા વિરોધ
Next articleબી પોઝીટીવ : સ્વસ્થતાનો સોફટવેર