ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા વનસંરક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે કરૂણા અભિયાન અંતર્ગત નગરજનોમાં જાગૃત્તિ લાવવાના ઉમદા આશયથી બાઇક રેલી અને પગપાળા રેલીનું આયોજન ધ- ૪ નર્સરી ખાતેથી કરવામાં આવ્યું હતું. આ રેલીને જિલ્લાના નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા અને જિલ્લા વનસંરક્ષક અધિકારી એસ.એમ.પાંડોરે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના ૩૦૦ ટુ- વ્હીલર ચાલકોને દોરીથી બચવા માટેનું સેફટી ગાર્ડ તેમના વાહનમાં વિના મૂલ્યે લગાવી આપવામાં આવ્યું હતું. બાઇક રેલી ધ- ૪ નર્સરી થી ધ-૫, ચ-૫, વિધાનસભા, ચ-૩, ધ-૩ થઇને ધ-૪ નર્સરી ખાતે પરત આવશે. તેમજ વિવિધ શાળાના બાળકો દ્વારા ધ- ૪ નર્સરીથી કલેકટર કચેરી, ધ-૩ સર્કલ થી ધ-૪ નર્સરી સુધીની રેલી યોજવામાં આવશે. તે સમગ્ર માર્ગ પર જન જાગૃત્તિના નારા અને બેનર્સ સાથે ફરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વનસંરક્ષક કચેરીના એ.એસ.એફ એન.વી.ચૌધરી, ભરતભાઇ દેસાઇ સહિત જિલ્લા વન સંરક્ષકની કચેરીના કર્મયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.