થિયેટરમાં રીલિઝ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ નિહાળી ’મણિકર્ણિકા’

658

કંગના રનૌતની ફિલ્મ ’ધ ક્વિન ઓફ ઝાંસી’ ૨૫ જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. ફિલ્મની સ્ક્રીનિંગ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં થઈ. આ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે રાખવામાં આવી છે.પોતાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ પર કંગના રનૌતે કહ્યુ કે, આ સ્ટોરી રાણી લક્ષ્મીબાઇના પરાક્રમની, જે અમારી નેશનલ હીરો છે. ફિલ્મમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો ખાસ ભાગ બતાવવામાં આવ્યુ છે. અમારા બધા માટે એ ખૂબ ગર્વની વાત છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમારી આ ફિલ્મને જોશે. ફિલ્મની રાષ્ટ્રપતિ ભવનમાં સ્ક્રીનિંગની જાણકારી આપતા એન્ટરટેન્ટમેન્ટ એન્ટરપ્રાઇજેજના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર પુનીત ગોયન્કા એ કહ્યુ, થિયેટરમાં રીલિઝથી થતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ ફિલ્મને જોઈ એ અમારી આખી ટીમ માટે ખૂબ ગર્વની વાત છે. એક ઇન્ટર્વ્યુમાં જ્યારે આ વિષયમાં કંગના રનૌતને પુછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ, ’મને લાગે છે કે એ મારા માટે ઘણુ કઠીન છે કારણકે મારી ફિલ્મ હિટ નથી થઇ રહી, હુ લોકો માટે એવુ વિચારવા લાગી છુ કે મારા પર પૈસા લગાવવા તેમના માટે ખૂબ કઠીન થઇ ગયુ છે, સીધુ ગણિતા છે જો તમારી ફિલ્મ કમાણી કરે છે તો તમે કરી શકો છો, મને પૂરો ભરોસો છે.

Previous article’નો ફાધર્સ ઇન કશ્મીર’ પરથી બૅન ઊઠાવી લો : આલિયા ભટ્ટ
Next articleકરણી સેના પર ભડકી કંગનાઃ ’હું પણ રાજપૂત છું, ખતમ કરી દઇશ’