રાણપુરમાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સૈયદ હાસ્મી મિયા બાપુની પધરામણી

931

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ સૈયેદ હાસ્મી મિયાં બાપુ પધાર્યા હતા રાણપુર ના લિંબડી ત્રણ રસ્તે થી તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા વાજતે ગાજતે બાઈક રેલી કાઢવામાં આવી હતી આ રેલી રાણપુર ના જાહેર માર્ગો ઉપર થી નિકળી હતી અને અણિયાળી રોડ ઉપર આવેલ ફિઝા પાર્ક માં પુરી થઈ હતી અને ત્યા આમ વોયેજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમા હજારોની સંખ્યામાં ગામે ગામથી મુસ્લિમ ભાઈઓ-બહેનો તેમને સાંભળવા ઉમટી પડ્યા હતા સૈયદ હાસ્મી મિંયા બાપુ એ મુસ્લિમ સમાજના લોકોને શાંતિ માટેની અપીલ કરી હતી સમાજ માંથી કુરિવાજો દૂર થાય અને તમામ સમાજના લોકો હળી મળીને રહે તેવો સંદેશો આપ્યો હતો સૈયદ હાસ્મી મિંયા બાપુ ને સાંભળવા હજ્જારો મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા અને મંડપ પણ નાનો પડ્યો હતો સાથે જે સ્થળે વાયેજ નો પ્રોગ્રામ હતો તે સ્થળે સૈયદ હાસ્મી મિંયા બાપુ પધારતા ની સાથે જ એક ઝલક જોવા માટે ભારે ધક્કા મુકી થઈ હતી.

Previous articleનાવડા પ્રા.આ. કેન્દ્રમાં વિદાય સમારોહ
Next articleસાળંગપુર હનુમાનજી મંદિરે ર૭મીએ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું આયોજન