ગાંધી મુલ્યોના માર્ગે નિકળેલી પદયાત્રાને વડીલોની હૂફ મળી રહી છે- મંત્રી માંડવીયા

991

ગાંધીરંગે રંગાયેલી પદયાત્રા એ વહેલી સવારે પ્રસ્થાન થયું. પાલિતાણા થી આદપુરના રસ્તામાં અલગ અલગ સંસ્થાની દીકરીઓએ લેજીમ થી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આદપુર ગામે ૧૫૦ બહેનો માથે “મેં ભી મોહન“ લખેલા બેડાઓ થી યાત્રાનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું અને આદપુર ગામે ગ્રામસભાનું સંબોધન કરી યાત્રા ઘેટી તરફ આગળ વધી જ્યાં રસ્તામાં અભિનેત્રી અને સંસદ રૂપા ગાંગુલી પદયાત્રાનો જુસ્સો વધારવા જોડાઈ ગયા હતાં.

ઘેટી મુકામે  રૂપા ગાંગુલી એ યાત્રાની આયોજન સમિતિ અને પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરનારા બધા લોકોનું અભિવાદન કર્યું. નવમી મહાવ્રત સભા આજે ઘેટી ખાતે યોજાઈ હતી અને તેનાવક્તા ભરતભાઈ મિસ્ત્રી એ ‘અસ્પૃશ્યતા નિવારણ’ પર વક્તવ્ય આપતા જણાવ્યું કે, “અસ્પૃશ્યતાનું વ્રત બહુ વિચિત્ર વ્રત છે એ માત્ર જ્ઞાતિની વચ્ચેની જ અસ્પૃશ્યતા નહિ પણ ધર્મની અંદર કે આત્માની અંદરની અસ્પૃશ્યતાની વાત છે. ‘અઝાન અને ? એક જ છે’ એવી સમજણ આવે ત્યારે સાચું અસ્પૃશ્યતાનું વ્રત પાળ્યું એમ કહેવાય.” આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે, “વડિલોના આશિર્વાદ વિના કોઈપણ યાત્રા અધુરી રહે છે. પણ ગાંધીમૂલ્યોના માર્ગે નીકળેલી આ યાત્રાને સતત વડિલોની હુંફ અને આશિર્વાદ મળતા આવ્યા છે.

આ પદયાત્રામાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, રૂપાબેન ગાંગુલી (અભિનેતા અને સાંસદસભ્ય),  નરેશભાઈ પટેલ (ખોડલધામ),  કે. સી. પટેલ,  શબ્દશરણભાઈ ભ્રમભટ્ટ,  ભરતસિંહ પરમાર,  શંકરભાઈ ચૌધરી, સુરેન્દ્રકાકા પદયાત્રામાં જોડાયા હતાં.

Previous articleરામી માળી જ્ઞાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ
Next articleસિહોરનાં રામકૃપા મેડીકલને બેસ્ટ કેમિસ્ટનો એવોર્ડ અપાયો