પરશોત્તમ સોલંકીના સ્વાસ્થ્ય સુધારા અર્થે ગઢડા કોળી સમાજ દ્વારા મારૂતિયજ્ઞ કરાયો

672

રાજયના મંત્રી અને કોળી સમાજના નેતા પુરુષોત્તમ સોલંકીની તબીયત સારી થાય તે માટે ગઢડામા કોળી સમાજ દ્વારા મારુતી યજ્ઞ કરવામા આવ્યો હતો.

સમગ્ર રાજયના કોળી સમાજમાં જાગૃતિ લાવનાર તેમજ કોળી સમાજમાં એકતા લાવનાર કોળી સમાજના હદય સમ્રાટ અને રાજય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી કે જેઓ છેલ્લા કેટલાક સમયથી બિમારથી છે જેની હાલ હોસ્પિટલ મા સારવાર શરૂ છે જે બાબતે તેની તબીયત સુધરી જાય અને ફરી બેઠા થઈ સમાજની સેવા કરે તેમજ રાજયના કોળી સમાજનુ નેતતુરુતવ કરે તે માટે ગઢડા શહેર અને તાલુકાના કોળી સમાજના યુવાનો દ્વારા ગઢડામા આવેલ રાધાવાવ ખાતે આવેલા હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞ કરવામા આવ્યો હતો. પુરૂષોત્તમભાઈનીઆ સમાજને હજી જરુર છે જેથી ભગવાન તેની તબીયત સારી કરે અને જલ્દી સમાજની સેવા કરે તેવી યુવાનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી.

Previous articleરાણપુર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી પડી જતા યુવતીનો આબાદ બચાવ
Next articleભાવનગર કલેકટર પટેલે ૧૮૧ અભયમ ટીમને શુભેચ્છા પાઠવી