ખડોળના પાટિયા પાસે ઈકોની ટક્કરે બાઈક ચાલકનું મોત

654

ગઈકાલે સાંજના સુમારે ધંધુકા- ફેદરા હાઈવેના ખોડળ ગામના પાટિયા પાસે ઈકો ગાડીના ચાલકે બજાજ એટીના ચાલકને ટક્કરે લેતા મૃત્યુ થયેલ ઘટનાની જાણ ધંધુકા ૧૦૮ને થતાં હર્ષદ મુલાણી ઈએમટી તથા પાયલોટ જીણીયાભાઈ ઘટના સ્થળે દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ઝીણાભાઈ વનરાવનભાઈ પટેલ (ઉ.વ.૬૦) વર્ષને સીએચસી ખાતે ખસેડાયા હતાં. પરંતુ ગંભીર રીતે ઈજા પામેલ વૃધ્ધને વધુ સારવાર મળે ત્યાં તો પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું. ધંધુકા પોલીસે અકસ્માત ઘટના સંદર્ભે ઈકો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ ધંધુકા પોલીસ ચલાવી રહી છે.

Previous articleજાફરાબાદ ખાતે કોળી સમાજ દ્વારા આઠમાં સમુહ લગ્નોત્સવનું આયોજન
Next articleસ્વામીનારાયણ ગુરૂકુળ મહુવા પ્રેરિત ૭૦માં ગણતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી