આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે

856

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની ચોથી વનડે હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર ગુરૂવારે રમાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણી જીતી ચૂકેલી ભારતીય ટીમની નજર ‘ક્લીન સ્વીપ’ પર છે. આ વખતે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી ટીમની કપ્તાની રોહિત શર્મા સંભાળશે. સિરીઝની ચોથી વન-ડેમાં ઉતરતાની સાથે જ રોહિત તેના કરિયરની ૨૦૦ વન-ડે મેચ પુરી કરશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે ૭.૩૦ કલાકે રમાશે. આ વખતે ચોશી મેચમાં પણ જો ભારત જીત મેળવીને ૪-૦ની લીડ હાસલ કરે તો ૫૨ વર્ષ બાદ ભારતની આ સૌથી મોટી જીત સાબીત થશે. ભારતે વર્ષ ૧૯૬૭માં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝ રમી હતી. આ પ્રવાસ દરમિયાન ચાર મેચની શ્રેણીમાં ભારતે ૩-૧થી શ્રેણીમાં જીત હાસલ કરી હતી. હાલ આ પાંચ મેચની શ્રેણીમાં ભારત ૩-૦થી આગળ છે. આગામી ટી૨૦ શ્રેણીમાં કપ્તાન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને કપ્તાન પદ સોંપવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ પૂર્વ કપ્તાન ધોનીને માંસપેશિયોમાં ખેંચાણ થવાને કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં તેમની ગેરહાજરી જોવા મળી હતી. તેટલા માટે જ સોમવારે માઉંટ માઉંગાનુઇમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં દિનેશ કાર્તિક વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હાલમાં આગામી ટી૨૦ શ્રેણીને ધ્યાનમાં લઇને બન્ને ટીમ દ્વારા ખેલાડીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ધોનીને માંસપેશિયોમાં ખેંચાણ થવાને કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવ્યો હતો. જોકે ચોથી મેચમાં કોહલીની ગેરહાજરી છે પરંતુ ટીમમાં ધોનીની વાપસી થઇ છે. સાથે જ ન્યૂઝીલેન્ડ દ્વારા આ વખતે વન-ડે સિરીઝમાં ટીમના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટી૨૦ માટે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ભારતઃ

રોહિત શર્મા (કપ્તાન), શિખર ધવન, અંબાતિ રાયુડૂ, મહેન્દ્ર સિંઘ ઘોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, વિજય શંકર, શુભમન ગિલ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહમદ, રવિન્દ્ર જડેજા, હાર્દિક પંડ્યા

Previous articleભારત વિરુદ્ધ ટી૨૦ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમ જાહેર, બોલ્ટને આરામ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે