વેલિંગનટ ટી૨૦માં ભારતીય મહિલા ટીમનો ૨૩ રને પરાજય

806

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૩ ટી૨૦ મેચોની સિરીઝના પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્‌યો છે. ભારતીય ટીમે ૨૩ રનથી વેલિંગટન ટી૨૦ મેચ ગુમાવી છે. ભારત માટે મંધાનાએ સૌથી વધુ ૫૮ રન બનાવ્યા હતા. જેમિમાહે ૩૯ રનનું યોગદાન આપ્યું પરંતુ તેના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો અને ટીમ ૧૩૬ રનો પર આઉટ થઈ ગઈ હતી. એક સમયે ભારતનો સ્કોર ૧ વિકેટ પર ૧૦૨ રન હતો, પરંતુ તેણે અંતિમ ૯ વિકેટ માત્ર ૩૪ રન પર ગુમાવી દીધી હતી.

મહત્વનું છે કે, પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ડિવાઇનના અણનમ ૬૨ અને સેદરવેટ ૩૩ તથા માર્ટિનના ૨૭ રનની મદદથી ૪ વિકેટ પર ૧૫૯ રન બનાવ્યા હતા.

ભારત માટે દીપ્તિ, રેડ્ડી અને રાધા તથા પૂનમ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.

 

Previous articleપ્રથમ ટ્‌વેન્ટીમાં ભારત પર ન્યુઝીલેન્ડની ૮૦ રને જીત
Next articleપીએમ મોદી લોકસભા ચૂંટણી રાજકોટથી લડશે એવી ચર્ચા